
વડોદરાના હરણી બોટ કાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેને લઈ કોંગ્રેસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પીડિત પરિવાર સાથે પદયાત્રા કાઢશે. તો ભાજપના કોર્પોરેટર આશિષ જોશી પણ વિરોધ પ્રદર્શન કરશે. શાળા, કોર્પોરેશન ઓફિસ અને હરણી લેક ઝોન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.